કુંભકર્ણ ઋષિ વૃષ્રવ અને રાક્ષસી કૈકસીનો પુત્ર હતા. અને તે લંકાપતિ રાવણનો નાનો ભાઈ હતા.બાળપણથી જ તેમના મોટા કાન હોવાને કારણે તેનું નામ કુંભકર્ણ રાખવામાં આવ્યું છે.
કુંભકર્ણને મોટે ભાગે રાક્ષસ તરીકે ઓળખવામાં આવે છે જે 6 મહિના સુધી સૂતો હતા અને 6 મહિના જાગતો હતા, કુંભકર્ણ તેમના ભાઈ રાવણ અને વિભીષણની જેમ ખૂબ જ તપસ્વી હતા.
કુંભકર્ણ ઘણા બધા ખોરાક લેતા હતા. બ્રહ્માજીને ચિંતા હતી કે જો તે રોજ આ રીતે ખાવાનું ચાલુ રાખશે તો ટૂંક સમયમાં જ આખું વિશ્વ સમાપ્ત થઈ જશે. એવું કહેવાય છે કે કુંભકર્ણએ ભગવાન બ્રહ્માની તપસ્યા કરી હતી. તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને બ્રહ્માએ તેમને વરદાન માંગવાનું કહ્યું. કુંભકર્ણ ઈન્દ્રાસન માંગવા માંગતો હતો, પરંતુ ઈન્દ્રાસનને બદલે કુંભકર્ણએ નિદ્રાસન માંગ્યું. એવું કહેવાય છે કે જ્યારે કુંભકર્ણ વરદાન માંગતો હતો ત્યારે સરસ્વતી તેની જીભ પર બેઠી હતી, જેમાંથી તેણે ઈન્દ્રાસનને બદલે નિદ્રાસન માંગ્યું હતું. આ વરદાનને કારણે તે ઊંઘતો રહેતો

જ્યારે રાવણને શ્રીરામ સાથે યુદ્ધ કરવું પાડિયું ત્યારે તેને કુંભકર્ણની જરૂર હતી. કુંભકર્ણ તે સમયે સૂતા હતા. તેને ઉઠાડવા ના અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા. આ પછી, જ્યારે કુંભકર્ણ જાગ્યો, ત્યારે રાવણે કુંભકર્ણને કહ્યું કે તે રામને હરાવી શકશે નહીં, ત્યારે કુંભકર્ણ હસી પડ્યા. રાવણ આ જોઈને ગુસ્સે થયા અને કુંભકર્ણને સમજાવ્યા અને યુદ્ધમાં જવા કહ્યું. લંકા પ્રત્યેની પોતાની ફરજ નિભાવતા, કુંભકર્ણ યુધિભૂમિમાં ઉતર્યા અને શ્રી રામે તેમને મારી નાખ્યા.