મહારાષ્ટ્રમાં એક તરફ સરકારની રચનાને લઇને હાઇ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે ત્યારે બીજી તરફ મુંબઇ શિવસેનાના દિગ્ગજ નેતા સંજય રાઉતને હૃદયની તકલીફ થતાં મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે પહેલાથી જ હ્દયને લગતી બીમારીઓથી પીડાઈ રહ્યા છે, મળતી માહિતી પ્રમાણે હજુ થોડા દિવસો પહેલા જ તેમની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી.હાર્ડ સ્પેશ્યાલિસ્ટ ડો. મેથ્યુ તેમની સારવાર કરી રહ્યા છે

શિવસેનાના દિગ્ગજ સંજય રાઉતની તબિયત એવા સમયે બગડી છે કે જ્યારે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ શિવસેનાને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું છે. જણાવી દઈએ કે શિવસેનાના નેતાઓ સાંજે 6 વાગ્યે રાજ્યપાલને મળવા જશે. શિવસેના સાંજના 7.30 વાગ્યા સુધીમાં પોતાનો દાવો રજૂ કરવાનો સમય છે.
શિવસેનાના દિગ્ગજ સંજય રાઉતના ભાઇ સુનીલ રાઉતે કહ્યું કે ગત 15 દિવસથી તેમની છાતીમાં દુખાવો થઇ રહ્યો હતો. તેમનું ચેકઅપ પણ થયું હતું. સુનીલ રાઉતે કહ્યું કે ચિંતાનો કોઇ વિષય નથી. એક કે બે દિવસમાં તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવશે.