Home Gujarat CM ભુપેન્દ્ર પટેલ સરદારધામ ના પ્રમોશન માટે સુરત આવશે.

CM ભુપેન્દ્ર પટેલ સરદારધામ ના પ્રમોશન માટે સુરત આવશે.

સરદારધામ એક પબ્લીક ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલી સંસ્થા છે જે સામાજીક, શૈક્ષણિક અને આર્થિક વિકાસની જુદી જુદી પ્રવૃત્તિઓ હાથ ધરે છે. સરદારધામનો મુખ્ય ધ્યેય સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણનો છે. ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ(GPBS) 2018માં પ્રથમવાર મહાત્મા મંદીર, ગાંધીનગર તેમજ 2020માં હેલીપેડ એક્ઝિબિશન ગ્રાઉન્ડ, ગાંધીનગર ખાતે યોજવામાં આવેલ હતો. જેમાં 7 લાખ કરતા વધુ પ્રતિનિધિઓએ ભાગ લીધેલ. GPBS ના પરિપાકરૂપે ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઈઝેશન કે જેનું લક્ષબિંદુ 10 હજાર અગ્રણી ઉદ્યોગપતિઓનું સંગઠન પેદા કરવાનું છે.

સરદારધામ દ્વારા 2022નો ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ સુરત ખાતે યોજવાનો નિર્ણય કરેલ છે અને તા.26, 27, 28 ફ્રેબુઆરી 2022ના રોજ સરસાણા ઈન્ટરનેશનલ એક્ઝિબિશન કન્વેન્શન સેન્ટર, સુરતના સ્થળે જુદા જુદા સેક્ટરના પ્રદર્શન સાથે યોજાશે. આ ગ્લોબલ પાટીદાર બિઝનેસનો પ્રમોશનલ કાર્યક્રમ નં.1 તા.18-9-21ના રોજ આ સ્થળે પ્લેટીનમ હોલમાં યોજાઈ ગયેલ છે.

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા કેન્દ્રના મંત્રીમંડળ તેમજ રાજ્યમંત્રી મંડળના સભ્યોનું અભિવાદન તા.15-10-21ના રોજ સાંજે 4.30 કલાકે, સંજીવકુમાર ઓડિટોરીયમ, અડાજણ, પાલ, સુરતમાં યોજાનાર છે. આ કાર્યક્રમમાં સુરત અને દક્ષિણ ગુજરાતની 26 જેટલી જુદા જુદા સામાજીક સંગઠનો દ્વારા માનનીય મુખ્યમંત્રીશ્રી સહિત તમામ મંત્રીશ્રીઓનું પણ અભિવાદન કરવામાં આવશે.

આજ સુધી સરદારધામ દ્વારા યોજાતા ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ ગાંધીનગર ખાતે યોજાયા છે. સૌ પ્રથમવાર દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક તેમજ બિઝનેસના હબ તરીકે ઓળખાતા સુરતમાં ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ તા.26, 27, 28 ફેબ્રુઆરી 2022ના રોજ સુરતમાં યોજવામાં આવશે. ત્યારે દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક અને બિઝનેસમેનને આ સમિટમાં જોડાવવા માટે અપીલ કરવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here