Home India જાણો રાજસ્થાનના આ અનોખા મંદિર વિશે જ્યાં ઉંદર નો ખાધેલો પ્રસાદ લોકો...

જાણો રાજસ્થાનના આ અનોખા મંદિર વિશે જ્યાં ઉંદર નો ખાધેલો પ્રસાદ લોકો ખાય છે.

આ ભવ્ય મંદિર રાજસ્થાનમાં બીકાનેરથી ૩૦ કિમી દૂર દેશનોક ગામમાં આવેલું શ્રીકરણી માતાનું મંદિર છે. માતાનું મંદિર ભારતભર માં પ્રખ્યાત છે.આ મંદિર માં વિશ્વભર માંથી પર્યટકો તથા શ્રદ્ધાળુઓ શ્રી કરણી માતાજીના મંદિરે અવશ્ય આવે છે.કરણી માતાના આ મંદિરમાં આશરે 25 હજાર ઉંદરો રહે છે. આ કાળા ઉંદરોને માતાનું સંતાન માનવામાં આવે છે. સામાન્ય રીતે, કોઈ ઉંદરોનો એઠો ખોરાક ફેંકી દે છે,આ મંદિરમાં ભક્તોને માત્ર ઉંદરોનો જ એઠો પ્રસાદ આપવામાં આવે છે.

આ મંદિરની વિશેષતા એ છે કે, અહીં કાળા ઉંદર વધારે જોવા મળે છે અને અહીની માન્યતા છે કે કાળા ઉંદરો વચ્ચે જો તમને સફેદ ઉંદર જોવા મળી જાય તો તમારી બધી જ ઈચ્છાઓ પૂર્ણ થઇ જશે.

કહેવામા આવે છેકે કરણીમાતા જન્મ 1387 માં ચારણ પરિવારમાં થયો હતો. તેના લગ્ન કીપોજી ચારણ સાથે થયા હતા, ત્યારબાદ સાંસારિક જીવનમાં કંટાળીને તેણે કિપોજી ચારણને તેની નાની બહેન ગુલાબ સાથે પરણાવ્યો. આ પછી, તે પોતે માતાની ભક્તિ અને લોકોની સેવામાં લીન થઈ ગઈ. કરણી માતા હવે ચાર ચારણોની કુલ દેવતા છે. રાજસ્થાનમાં દરેક ઘરમાં કરણી માતાની પૂજા કરવામાં આવે છે. દેશનોકના કરણીદેવી આજે તો રાજસ્થાન ઉપરાંત મઘ્યભારત, ગુજરાત અને સૌરાષ્ટ્ર સુધી સુપ્રસિદ્ધ છે. બિકાનેર રાજ્યની સ્થાપના કરનાર બિકાજી રાઠોડ ઉપર શ્રી કરણજી પ્રસન્ન થયાં અને તેમની કૃપાથી જ બિકાજી મહારાજા બન્યા હતા. બિકાજીથી માંડીને આજ સુધીના તેમના રાજકુટુંબો અને રાજા કરણીમાતાને પોતાની કૂળ દેવી તરીકે પૂજતા આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here