Home Gujarat મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજીનામા બાદ દીકરી (રાધિકા રૂપાણી) ભાવુક થઈ કહી દીલની...

મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજીનામા બાદ દીકરી (રાધિકા રૂપાણી) ભાવુક થઈ કહી દીલની આ વાત!

ભૂતપૂર્વ એવા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજીનામાના બાદ તેમની દીકરી રાધિકાએ સોશ્યલ મીડિયામાં પોતાના દીલની વાત કહી છે. રાધિકાએ પિતાના સંઘર્ષથી લઈને મુખ્યમંત્રી પદ સુધીની વાત કરી છે. વિજય રૂપાણી એ સમાજ માટે આપેલા ત્યાગની પણ વાત કરી છે. તો આવો એક નજર કરીએ રાધિકા રૂપાણની ઈમોશનલ પોસ્ટ પર…

રાધિકા રૂપાણી એ કહ્યું ‘કાલે બહુ બધા રાજનીતિક વિશેષજ્ઞ લોકોએ વિજયભાઇના કામો અને એમના ભાજપના કાર્યકાળની ઝીણવટથી વાતો કરી. એમનો ખૂબ ખૂબ આભાર. એમના મતે પપ્પાનો કાર્યકાળ એક કાર્યકર્તાથી શરૂ થયો અને પછી ચેરમેન, મેયર, રાજ્યસભાના મેમ્બર, ટુરીઝમના ચેરમેન, ભાજપ અધ્યક્ષ, મુખ્યમંત્રી વગેરેથી સીમીત છે પણ મારી નજરે પપ્પાનો કાર્યકાળ ૧૯૭૯ મોરબી હોનારતથી ચાલુ કરી.

મારી નજરે પપ્પાનો કાર્યકાળ ૧૯૭૯ મોરબી હોનારતથી ચાલુ કરી અમરેલી અતિવૃષ્ટિ, કચ્છ ભૂકંપ, સ્વામીનારાયણ મંદિરનો આતંકવાદી હુમલો, ગોધરાકાંડ, બનાસકાંઠાની અતિવૃષ્ટિ, તાઉતે, કોરોનામાં પણ પપ્પા બધે ખડેપગે ઉભા રહ્યા છે. આજે પણ મને યાદ છે કે કચ્છના ભૂકંપ વખતે મારા ભાઇ ઋષભને સ્કુલના સભ્ય સાથે ઘરભેગો કરી એ પોતે રાજકોટમાં ભૂકંપની અસર અને મદદ કરવા નીકળી ગયા હતા. પોતાના ભત્રીજાના લગને Second priority માનીને ભૂકંપના બીજા દિવસે ભચાઉની ઇચાર્જ તરીકેની જવાબદારી સ્વીકારી હતી. મને અને મારા ભાઇને એક એક દિવસ સાથે લઇ જઇ ભૂકંપની વાસ્તવિકતા સમજાવી હતી અને અમને રાહતફંડમાં લોકો સાથે બેસાડી જમાડ્યા હતા.

અમારા ભણતરમાં પણ મમ્મી-પપ્પાનો ખૂબ ફાળો રહ્યો. અમારા ઘરમાં વ્યવસાયિક અથવા માસ્ટર ડિગ્રી આવશ્યક હતી. અમે ભણી અને પગભર થઇએ પછી જ અમને અન્ય બાબતો વિશે પણ વિચારવાની છૂટ હતી. આજે અમે બંને ભાઇ-બહેન અમારા ફિલ્ડમાં સેટલ છીએ, અને અમારા માતા પિતાનો આભાર માનીયે છીએ. આજે પણ મને યાદ છે કે રાજકોટમાં રોડ પર પપ્પા સાથે સ્કૂટર પર જતા હોઇએ અને જો રોડ પર ક્યાંક કોઇ અકસ્માત કે ઝઘડો થયો હોય તો સ્કુટર ઉભુ રાખીને પપ્પા ભીડ વચ્ચે જશે જરૂરી સૂચના આપશે. એમ્બ્યુલન્સ મગાવશે. એમનો એ સ્વાભવ આજકાલનો નથી એ એમનો જન્મજાત સ્વભાવ છે. હંમેશા સારા વિચારો અને લોકોને મદદ કરવાનો સ્વભાવ. કાલે મે એક ન્યુઝ હેડલાઇન વાંચી – વિજયભાઈની નરમ બોલવાની છબી તેમની વિરુદ્ધ કામ કરતી હતી. મારે એક સવાલ પૂછવાનો છે એમને, શુ રાજકારણી ઓએ સંવેદનશીલતા, શાલીનતા ન રાખી જોઇએ ? શું તે નેતામાં જરૂરી ગુણવત્તા નથી? સમાજના બધા સ્તરના લોકો આવીને સહજતાથી મળી શકે એવુ વ્યક્તિત્વ એટલે નરમ બોલતી છબી? જયાં જ્યાં દાદાગીરી કે ગુનાની વાત છે ત્યાં એમણે કડક પગલા ભર્યા છે. સીએમ ડેશ્કબોર્ડથી માંડીને દારૂબંધી એના સબૂત છે પણ આખો દિવસ ગંભીર અને ભારે મુખમુરા સાથે ફરવુ એ જ નેતાની નીશાની છે ?

અમારા household માં ઘણીવાર ડિસ્કશન થયુ છે કે જ્યારે આટલું બધુ કરપ્શન , નેગેટિવિટી ઇન્ડિયન પોલિટિક્સ માં prevalent છે. ત્યારે સાદુ વ્યક્તિત્વ અને સાદો સ્વભાવ પણ હંમેશા પપ્પાએ એક જ વાત કરી છે કે પોલિટિક્સ અને નેતાની ઇમેજ Indian movies and age old perception થી ગુંડા અને સ્વછંદી લોકો જેવી બનાવી દેવામા આવી છે, આપણે એ જ perception બદલવાનું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here